બંધ

    ઇતિહાસ

    ગીર-સોમનાથ જિલ્લો ગુજરાતનો એક જિલ્લો છે. જીલ્લાનું મથક વેરાવળ છે અને તે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. વેરાવળ શહેરની વસ્તી આશરે સાડા ત્રણ લાખ આસપાસ છે. વેરાવળ શહેરમાં દોલત પ્રેસ, વખારીયા બજાર, ગાંધી ચોક, સટ્ટાબજાર, ખારાકુવા, તુર્ક ચૌરા, હર્ષિદ્ધિ સોસાયટી, ગરીબ નવાઝ, બિહારી નગર, આદિત્ય પાર્ક, રેયોન હાઉસીંગ વિગેરે વિસ્તાર આવેલા છે, જે વેરાવળ નગરપાલિકાના વહીવટ હેઠળ આવે છે. રેયોન કંપની કે જે હાલમાં આદિત્ય બિરલા ગ્રુપ સંભાળે છે તે વેરાવળ શહેરની મધ્યમાં આવેલી છે.

    ગીર-સોમનાથ મહેસૂલ જિલ્લો ઓગસ્ટ ૨૦૧૩માં જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા હતા ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી વિભાજિત થયો હતો,. ત્યારબાદ, ગીર-સોમનાથના ન્યાયિક જિલ્લાની સ્થાપના જુન ૨૦૧૬ માં મહેસૂલ હકુમતનાં આધારે કરવામાં આવી હતી. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગીર-ગઢડા એ ગીર-સોમનાથ જિલ્લાના તાલુકાઓ છે.

    ગીર-સોમનાથ જિલ્લો સોમનાથ મંદિરના તીર્થસ્થાન માટે પ્રખ્યાત છે, જે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તે ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલ યાત્રાધામ અને પ્રવાસન સ્થળ છે. જિલ્લાનો મોટો ભાગ ગુજરાતના પશ્ચિમ કિનારે અને ગીર-અભયારણ્ય ઉદ્યાનની નજીક અને સમુદ્રતટ પર આવેલો છે.

    હાલમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટ જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં કાર્યરત છે જેમાં હેડ-ક્વાર્ટરમાં મુખ્ય જીલ્લા ન્યાયાલય સહીત કુલ છ કોર્ટ છે. જે કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ વર્ષ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. હેડ-ક્વાર્ટરમાં F.T.C નામની બીજી બે કોર્ટ બિલ્ડિંગ પણ છે જેનું બાંધકામ ૨૦૦૬ ના વર્ષમાં કરવામાં આવ્યું હતું.

    જ્યાં સુધી ન્યાયના સશક્તિકરણની વાત છે ત્યાં સુધી, જિલ્લામાં કુલ ૧૭ કોર્ટ કાર્યરત છે, જેમાં ચાર એપેલેટ કોર્ટ,ચાર સિવિલ જજની (સીનીયર ડીવીઝન) કોર્ટ અને સિવિલ જજ (જુનિયર ડીવીઝન) ની નવ કોર્ટ કાર્યરત છે. જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ૨ એપેલેટ, ૨ સિનિયર ડિવિઝન અને ૨ જુનિયર ડિવિઝન કોર્ટ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ કાર્યરત છે. ઉનાની તાલુકા કોર્ટમાં એક એપેલેટ જજ, ૨ સિનિયર સિવિલ જજ અને ૨ સિવિલ જજની કોર્ટ કાર્યરત છે. અન્ય મોટા તાલુકા કોડીનાર ખાતે એક એપેલેટ કોર્ટ અને સિવિલ જજની બે કોર્ટ છે. બાકીના તાલુકા સ્થળો જેવા કે, તાલાલા, સુત્રાપાડા અને ગીર-ગઢડામાં દરેક માટે સિવિલ જજ (જુનિયર ડીવીઝન)ની અલગ કોર્ટ છે. ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ લોક અદાલત જૂનાગઢના ઉના શહેરમાં (હવે ગીર-સોમનાથ હેઠળ) ૧૯૮૨માં યોજાઈ હતી.